પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવી પુત્રના જન્મદિવસની ઉજવણી કરતા અનસ્ટોપેબલ વોરીયર ગૃપના સભ્ય

- text


મોરબી : મોરબીનું અનસ્ટોપેબલ વોરીયર ગૃપ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતું છે. ત્યારે ગૃપના સભ્યના પુત્રના જન્મદિવસે પ્રજ્ઞાચક્ષુને ભોજન કરાવી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગૃપના સભ્ય રાકેશભાઈ બરાસરાના બન્ને પુત્ર રામ અને રૂદ્રના જન્મદિવસ નિમિત્તે મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભવન ખાતે પ્રજ્ઞાચક્ષુ લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ રીતે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ તકે ગૃપના પ્રમુખ હેતલબેન પટેલ, પ્રભાબેન મકવાણા, જાગૃતિબેન, રેખાબેન, ગીતાબેન સહીતના બહેનો ઉપસ્થિત રહ્યા હતા

- text

- text