મોરબીના રંગપર – જીવાપર રોડ ઉપર ટ્રેકટર પલ્ટી જતા આદિવાસી યુવાનનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં ગોપાલભાઈ કલ્યાણજીભાઇ મોરડિયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પંકજભાઈ તોલીયાભાઇ આમલીયા ગઈકાલે રંગપરથી – જીવાપર રોડ ઉપર ટ્રેકટર લઈને જતા હતા ત્યારે ટ્રેક્ટર રોડ પરથી ઉત્તરી જઈ પલ્ટી ખાઇ જતા પંકજભાઈ ટ્રેક્ટર નીચે દબાઇ જતા ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text