- text
84 વર્ષ પૂર્ણ થતા પરિવારજનોએ 84 દીવડાઓ પ્રગટાવી શુભકામનાઓ આપી
મોરબી : મોરબીના પર્યાવરણપ્રેમી એવા નિવૃત NCC અધિકારી એમ.જે. મારૂતિ સાહેબના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેઓને આજે 84 વર્ષ પૂર્ણ થતા પરિવારજનોએ 84 દીવડાઓ પ્રગટાવી શુભકામનાઓ આપી હતી.
નિવૃત NCC અધિકારી એમ.જે. મારૂતિ સાહેબ સેવા ક્ષેત્રમાં મોરબીમાં ખૂબ મોટું નામ ધરાવે છે. તેઓ એનસીસીના મેજર રહી ચૂક્યા છે. શિસ્ત અનુસાશનના આગ્રહી એમ.જે. મારૂતિ સાહેબના વડપણ હેઠળ એનસીસીના અનેક કેડેટ્સ અત્યારે અધિકારી સહિતના ઉચ્ચ હોદાઓ ઉપર ફરજ બજાવે છે.
તેઓએ પર્યાવરણને સુધારવા માટે અથાગ મહેનત કરી છે. તેઓએ મયુર નેચર કલબની સ્થાપના કરી હતી. ત્યારે બીજ તરીકે રોપાયેલ મયુર નેચર કલબ અત્યારે વટવૃક્ષ બની છે. આ ઉપરાંત પણ તેઓ અનેક સેવાકાર્યો સાથે જોડાયેલ છે.
- text
- text