પાકીસ્તાનથી મોરબી આવેલા હિન્દુ શરણાર્થીઓની ભોજનની વ્યવસ્થા કરતું જલારામ પ્રાર્થના મંદિર

- text


આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા રહેવા માટે આશરો આપવામાં આવશે

મોરબી : પાકિસ્તાનથી મોરબી આવેલા હિન્દુ શરણાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યા સુધી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બન્ને ટાઈમ ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ જલારામ પ્રાર્થના મંદિર ખાતે રહેવાની વ્યવસસ્થા કરવામાં આવી હોવાનું પણ જાહેર કરાયું છે.

- text

બે દિવસ પૂર્વ પાકીસ્તાનથી હરીદ્વારના વિઝા લઈ ભારત આવેલ હિન્દુઓ મોરબી મુકામે આવી પહોંચ્યા છે ત્યારે તે લોકો માટે તંત્ર સાથે સંકલન સાધી બન્ને ટાઈમ ભોજન વ્યવસ્થા મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા જલારામ પ્રાર્થના મંદિર તરફથી કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તથા સી.ડી.રામાવતે જણાવ્યુ છે. વધુ માં મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ દ્વારા શરણાર્થીઓ માટે જરૂર પડ્યે મોરબી જલારામ મંદિર ખાતે રહેવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમ જણાવ્યુ છે. આ ભગીરથ કાર્ય માં ગીરીશભાઈ ઘેલાણી, સુરેશભાઈ સિહોરીયા, સી.ડી.રામાવત, ચિરાગ રાચ્છ, હિતેશ જાની સહીત ના અગ્રણીઓ જોડાયા હતા.

- text