ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે હળવદના સોનારકાધામ ખાતે શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરાયો

- text


હળવદના સામાજિક કાર્યકર્તા દિલીપભાઈ સોની દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

હળવદ : ભારત ભરના લોકો ચંદ્રયાન -3નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે આજરોજ હળવદના અતિ પૌરાણિક સોનારકા ધામ ખાતે ચંદ્રયાનનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ થાય તેવા શુભ સંકલ્પ સાથે હળવદના સામાજિક કાર્યકર્તા દિલીપભાઈ સોની દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી શુભ યજ્ઞ કાર્ય કરવામાં આવ્યું હતું

- text

યજ્ઞમાં હાજર ભૂદેવોએ મંત્રોચ્ચાર દ્વારા હોમાત્મક યજ્ઞ કરી અને ચંદ્રયાન -3નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ થાય તે માટે પ્રાર્થના કરી હતી. આ યજ્ઞ કાર્ય વિદ્વાન શાસ્ત્રી રાજુભાઇ પ્રમોદભાઈ દવેના આચાર્ય પદે સંપન્ન થયેલ હતું સાથે શાસ્ત્રોના જાણકાર વિદ્વાન ભૂદેવ ચંદ્રેશભાઇ દવે અને નિલેશભાઈ રાવલ પણ જોડાયા હતા અને આ શુભ સંકલ્પ સાથે આયોજિત યજ્ઞ કાર્ય ખુબ સારી રીતે સંપન્ન થયું હતું.

- text