કાલે ગુરુવારે ઘુંટુ ઔધોગિક વિસ્તારોમાં વીજકાપ રહેશે

- text


મોરબી : આવતીકાલે તારીખ 10 ઓગસ્ટ ને ગુરુવારના રોજ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો મેન્ટેનન્સના કારણે બંધ રાખવામાં આવશે.

આવતીકાલે વિવેનટા ઇન્ડસ્ટ્રીયલ ફીડર સવારે 8 થી 3 કલાક દરમિયાન બંધ રેહશે. જેના કારણે ત્રિલોક ધામ સોસાયટી, શિવ પાર્ક 1 અને 2, રામપાર્ક સોસાયટી તેમજ તેની આસપાસનો વિસ્તાર તથા રઘુવીર ઇન્ડસ્ટ્રીયલ ફીડર સવારે ૮ થી ૩ તેમજ ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ જોડાણમાં દર્શાવેલ સમય સુધી સુધી વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવશે.

- text

- text