મચ્છુ હોનારતની શુક્રવારે 44મી વરસી, મૃતાત્માની શાંતિ માટે મૌનરેલી

- text


11 ઓગસ્ટને બપોરે 3-15 વાગ્યે મચ્છુ ડેમ તૂટ્યાના સમયે 21 સાયરન વગાડી નગરપાલિકા દ્વારા મૌનરેલી યોજવામાં આવશે, મૌનરેલીમાં રાજકીય,સામાજિક, ઉધોગ અને ધંધાકીય તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ સહિતના નગરજનો જોડાઈને મણી મંદિર ખાતે આવેલા મૃતાત્માના સ્મૃતિ સ્તંભે પુષ્પાજલી અર્પણ કરશે

મોરબી : વિશ્વની સૌથી મોટી મોરબીની મચ્છુ જળપ્રલયની દુર્ઘટનાની શુક્રવારે 44મી વરસી છે. ત્યારે દર વખતની જેમ મોરબી નગરપાલિકા દ્વારા મચ્છુ જળ હોનરતના હજારો દિવગંતોની આત્માની શાંતિ મૌનરેલીનું આયોજન કરવામાં આવ્યું છે.11 ઓગસ્ટને બપોરે 3-15 વાગ્યે મચ્છુ ડેમ તૂટ્યાના સમયે 21 સાયરન વગાડી નગરપાલિકા દ્વારા મૌનરેલી કાઢવામાં આવશે. મૌનરેલીમાં રાજકીય,સામાજિક, ઉધોગ અને ધંધાકીય તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ સહિતના નગરજનો જોડાઈને મણી મંદિર ખાતે આવેલા મૃતાત્માના સ્મૃતિ સ્તંભે પુષ્પાજલી અર્પણ કરશે.

- text

11 ઓગસ્ટ 1979નો દિવસ મોરબીના ઇતિહાસના કાળો દિવસ તરીકે ઓળખાય છે. 11 ઓગસ્ટ 1979નો દિવસ મોરબીવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. આ દિવસે મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યો અને ભયાનક ખુવારી સર્જાઈ હતી. મચ્છુ જળ હોંરાતમાં હજારો લોકો મોતને ભેટ્યા હતા. એકઝાટકે મોરબી સ્મશાન બની ગયું હતું. હજારો લોકો અને હજારો પશુઓ મૃત્યુ પામ્યા તેમજ ઉધોગ ધંધાને ગંજાવર નુકશાન થયું હતું. ત્યારે આ મચ્છુ જળપ્રલયની શુકવારે 44મી વરસી છે. આ મચ્છુ જળ હોનારતની 44મી વરસી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 11 ઓગસ્ટને શુક્રવારે મોરબી નગરપાલિકા દ્વારા હજારો દિવગંતોની આત્માની શાંતિ માટે મૌનરેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને બપીરે 3-15 વાગ્યે મચ્છુ ડેમ તૂટ્યાના સમયે 21 સાયરન વગાડવામાં આવશે અને પ્રથમ સાયરન વાગતા નગરપાલિકાએથી મૌનરેલી કાઢવામાં આવશે. જેમાં રાજકીય,સામાજિક, ઉધોગ અને ધંધાકીય તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ સહિતના નગરજનો જોડાઈને મણી મંદિર ખાતે આવેલા મૃતાત્માના સ્મૃતિ સ્તંભે પુષ્પાજલી અર્પણ કરશે. આ મૌનરેલીમાં દરેક મોરબીવાસીને જોડાવવા ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ જાહેર અપીલ કરી છે.

- text