મોરબીના બોરીયાપાટી નજીક ટ્રક ચાલકે ગાયો કચડી નાખી : ત્રણ ગાયના મૃત્યુ, બે ઘાયલ

- text


મોરબી : મોરબી લીલાપર રોડ ઉપર બોરીયાપાટી નજીક એક ટ્રક ચાલકે ગાયોના ટોળા ઉપર ટ્રક ફેરવી દેતા ત્રણ ગાયોના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે બે ગાયોને ગંભીર ઇજાઓ પહોંચતા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર ગત રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ટ્રક નંબર જીજે – 05 – BV – 1150 નંબરના ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવી ગાયોને કચડી નાખતા ત્રણ ગાયના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે બે ગાયને ઇજાઓ પહોંચતા બનાવ અંગે કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજાએ મોરબી સીટી એ ડિવિઝનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text