મોરબીના રંગપર ગામે ફુવાના ઘરે ગયા બાદ યુવાન લાપતા

- text


મોરબી : મોરબીના બધુંનગર ગામે પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા બાદ એકલા રહેતા યુવાન પોતાના રંગપર ગામે રહેતા ફુવાના ઘરે ગયા બાદ લાપતા થયાની તાલુકા પોલીસને અરજી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બંધુનગર ગામે એકલા રહેતા જગદીશભાઈ સવજીભાઈ વાસણીયા ઉ.વ.49 ના પત્ની સાથે આઠ વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હોય પરિવારથી જુદા એકલા જ રહે છે. દરમિયાન જગદીશભાઈ સવજીભાઈ વાસણીયા કોઈ કામસર ગત તા.10/7/23ના રોજ તેમના રંગપર ગામે રહેતા ફુવા જયંતિભાઈ માકાસણાંના ઘરે ગયા હતા. પણ ત્યાંથી તેમના બધુંનગર ગામે આવેલા મકાને પરત ફર્યા ન હતા. આથી આજુબાજુના દુકાનદારે તેમના મોરબી રહેતા ભાઈ અશ્વિનભાઈ સવજીભાઈ વાસણીયાને ફોન કરીને તમારા ભાઈ એક અઠવાડિયાથી ઘરે ન આવ્યા હોવાની જાણ કરી હતી. આથી અશ્વિનભાઈ સહિતના પરિવારજનોએ ઘરમેળે સગા સબધીઓ તપાસ કરવા છતાં આજદિન સુધી પતો ન લગતા અંતે મોરબી તાલુકા પોલીસને ગુમસુદા નોંધ કરી તપાસ કરવા અરજી કરી છે.

- text

- text