મોરબીની શક્ત શનાળા પ્લોટ શાળામાં ટ્રોલી સ્પીકર અર્પણ કરાયું

- text


મોરબી : મોરબીની શક્ત શનાળા પ્લોટ શાળામાં વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાને લઈને સ્વ. બળદેવગીરી ગુલાબગીરી ગોસાઈના સ્મરણાર્થે તેમના મોટાભાઈ નગીનગીરી ગુલાબગીરી ગોસાઈ તરફથી રૂ. 11,000/- ની કિંમતનું ટ્રોલી સ્પીકર અર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દાતા નગીનગીરી અને તેમના મોટા દીકરા વિમલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે નગીનગીરી જણાવ્યું હતું કે તેમના બંને દીકરા શક્ત શનાળા પ્લોટ શાળામાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. અને હાલ ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવી રહ્યા છે જેનું ગૌરવ વ્યકત કર્યું હતું. તેમજ વિમલભાઈએ પોતાના વિદ્યાર્થીકાળને યાદ કરી બાળકોને સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવી શાળા, કુટુંબ તથા ગામનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો તેમજ શાળાના કર્મનિષ્ઠ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય મહેશભાઈ રામાવત, શિક્ષકો હર્ષદભાઈ મારવણીયા, મીનાબેન ફુલતરીયા,હીનાબેન ગામી દ્વારા આ પ્રેરણાદાયી કાર્ય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

- text

- text