રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમારોહ

- text


14 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરી જવા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સુચના

મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે તારીખ 14 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરીને જમા કરાવી દેવા જણાવાયું છે.

રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા તારીખ 24 સપ્ટેમ્બરના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું છે. જેમાં ધોરણ 9 અને તેથી ઉપરના વિદ્યાર્થીઓને શિલ્ડ તથા સર્ટિફિકેટ તથા વિવિધ ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. રઘુવંશી યુવક મંડળ મોરબીના પ્રમુખ સંદિપભાઈ ખગ્રામે જણાવ્યું છે કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટે 14 સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે. ફોર્મ મેળવવા તથા જમા કરાવવા માટે (1) મનોજ ઝેરોક્ષ, કુબેરનાથ મંદિરવાળી શેરી, મોરબી (2) દરિયાલાલ આલુ ભંડાર, નવા ડેલા રોડ, મોરબી (3) કેવીન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ, નવા બસ સ્ટેન્ડની સામે સંપર્ક કરવા જણાવાયું છે. વધુ માહિતી માટે પ્રમુખ સંદિપભાઈ ખગ્રામ તથા પ્રોજેક્ટ ચેરમેન હાર્દિકભાઈ કાથરાણીનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text