માળિયાના મોટા દહીંસરા ગામે પાણીના વહેણમાં ડૂબી જતાં ખેડૂતનું મોત

- text


માળિયા : માળિયાના મોટા દહીંસરા ગામે વરસાદી પાણીના વહેણમાં ડૂબી જતાં એક ખેડૂતનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

માળિયાના મોટા દહીંસરા ગામે બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. સ્થાનિક જેસિંગભાઈ હુંબલના જણાવ્યા અનુસાર બે દિવસમાં સાતેક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે ખેતરે જતા કુંતાશીના રસ્તે પાણીના વહેણમાં ડૂબી જતાં રણધીરભાઈ જલાભાઈ હૂંબલ ઉ.વ.34 નું મૃત્યુ થયું છે.

- text

- text