મોરબીમાં 25મીથી બે મહિના ગર્ભ સંસ્કાર વર્ગ

- text


તત્વાધાન શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનથી ટીમ મોરબીનું આયોજન : માત્ર 40 બહેનોને જ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ

મોરબી : તત્વાધાન શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનથી ટીમ મોરબી દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર, હાઉસીંગ બોર્ડ , બ્લોક નં – એમ ૧૧૫૮/૫૯ , શનીદેવના મંદિર પાછળ , શનાળા રોડ, મોરબી ખાતે તા.25 જૂનથી 13 ઓગસ્ટ સાંજે 4થી 7 નિપુણ ગર્ભસંસ્કાર વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વસ્થ, પ્રતિભાશાળી, પ્રખર, તેજસ્વી, બુધ્ધિશાળી , માનવતાના મૂલ્યો સંપન્ન બાળક માટે ગર્ભસંસ્કાર મહત્વનું માનવામાં આવે છે. નિપુણ ગર્ભસંસ્કાર વર્ગમાં ગર્ભવતી માતા બહેનો તથા પ્લાનીંગ વાળા બહેનોને 8 માસ્ટર ક્લાસ દ્વારા 2 મહિનામાં ગર્ભસંસ્કારનું સંપુ્ર્ણ શિક્ષણ આપવામા આવશે. આ વર્ગમાં ગર્ભવતી બહેનો તથા પ્લાનીંગ વાળા બહેનો થઈને ટોટલ 40 બહેનોને લેવાના છે તો વહેલા તે પહેલા ના ધોરણે ઝડપથી રજિસ્ટ્રેશન કરાવવું. રજીસ્ટ્રેશન 24 જૂન સુધી કરાવી શકાશે

- text

રજિસ્ટ્રેશન માટે

મો.નં. 9824241346

- text