- text
નઝરબાગ રેલવે સ્ટેશનના છાપરા ઉડ્યા
મોરબી : મોરબીમાં આજ સવારથી જ વાવઝોડાની અસરથી જોરદાર પવન ફૂંકાતા ભારે નુકશાની થઈ છે . જેમાં મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ નઝરબાગ રેલવે સ્ટેશનના છાપરા ઉડ્યા હતા અને પંખા બેન્ડ વળી ગયા હતા.
- text
મોરબીમાં સવારથી અંધાધૂંધ પવન ફૂંકાય રહ્યો છે અને સાંજે વરસાદ રહી ગયા બાદ પણ તોફાની પવનની આંધી ઉઠી હતી. ભારે પવને નઝરબાગ રેલવે સ્ટેશનને ભારે અસર કરી છે. જેમાં સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ નઝરબાગ રેલવે સ્ટેશનના છાપરા ઉડ્યા હતા અને પંખાના પંખીયા બેન્ડ વળી ગયા હતા. હજુ પણ પવનની ગતિ તેજ બની હોય વધુ નુકશાની થવાની દહેશત છે.
- text