આમરણમાં જુનવાણી મકાન ધરાશયી થયું

- text


બહુચરાજી શેરી પાછળ આવેલ મકાન બંધ હાલતમાં હોય કોઈ જાનહાની નહિ

મોરબી : મોરબીના આમરણ ખાતે આજે ભારે પવન અને વરસાદને કારણે બંધ હાલતમાં રહેલ એક જુનવાણી મકાન ધરાશયી થયું હતું. જો કે, દુર્ઘટના સમયે આસપાસમાં કોઈ હાજર ન હોય કોઈ જાનહાની થઈ ન હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ ગામે ભારે પવન અને વરસાદ વચ્ચે આજે બહુચરાજી શેરી પાછળ રાજબાઈના ઓટા પાસે આવેલ માધુભાઈ મિસ્ત્રીનું જુનવાણી નળિયાં વાળા મકાનની દીવાલ ધરાશયી થતા નળીયા સહિતનો કાટમાળ ઠગલો થઈ ગયો હતો. સદનસીબે દુર્ઘટના સમયે લોકોની અવર જવર ન હોવાની સાથે આ મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી.

- text

- text