- text
મોરબીના શનાળા નજીક પત્નીને છૂટાછેડા આપ્યા બાદ સમાધાન માટે બોલાવી સાળાએ હુમલો કર્યો
મોરબી : મોરબીમાં પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા બાદ ભાણેજોને કેમ સાચવતો નથી કહી સાળાએ બનેવીને શકત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર પાસે બોલાવી માથાના ભાગે છરીનો ઘા ઝીકી દેતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શકત શનાળા ગામે મુરલીધર હોટલ પાછળ રહેતા ભુપતભાઇ નાગજીભાઈ વિકાણી નામના યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેના લગ્ન ઉષાબેન સાથે થયા હતા અને નવેક વર્ષ પહેલા છૂટાછેડા પણ થઈ ગયા છે અને બે દીકરી તેમજ બે દીકરા ભૂપતભાઇ સાથે રહે છે.
- text
વધુમાં ગઈકાલે ભુપતભાઇ પાપાજી ફનવર્ડ પાસે હતા ત્યારે તેમના સાળા સન્ની શાંતિલાલ કડવાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમે શક્તિ માતાજીના મંદિર પાસે આવો આપણે સમાધાન કરી લઈએ જેથી ભુપત તેમના મિત્ર અનવર સાથે શક્તિ માતાજીના મંદિર પાસે પહોંચતા સાળા સન્નીએ તું ભાણેજને કેમ સાચવતો નથી કહી માથાના ભાગે છરી ઝીકી દેતા ભૂપતને પ્રથમ સરકારી બાદ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સાળા સન્ની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text