હળવદના મયુરનગર ખાતે 30મીએ નવરંગા નવ માંડવો – નવચંડી યજ્ઞનું આયોજન

- text


હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ખાતે આવતીકાલે તારીખ 30 મેના રોજ ચામુંડા માતાજીના મઢે ચાવડા પરિવાર દ્વારા નવરંગા નવ માંડવા તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે તારીખ 30 મે ને મંગળવારના રોજ મયુરનગર ગામે ચાવડા પરિવાર દ્વારા ચામુંડા માતાજીના મઢે નવરંગા નવ માંડવા યોજાશે તથા નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સવારે શુભ ચોઘડિયા માંડવો રોપવામાં આવશે અને નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. આ ઉપરાંત સાંજે 7 કલાકે નકુમ પરિવારની વાડીએ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 9 કલાકે ડાકની રમઝટ બોલશે અને 31 મેના રોજ સવારે માંડવો વધાવવામાં આવશે. આ નવરંગા માંડવામાં સમગ્ર સમસ્ત મયુરનગર ગામને મહાપ્રસાદ લેવા ચાવડા પરિવાર દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text