ચકમપર ગામે નેકનામના પ્રખ્યાત રામામંડળ યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામમાં ધર્મેન્દ્રભાઈ હરજીવનભાઈ કાલરીયા, સાવનભાઈ ધર્મેન્દ્રભાઈ કાલરીયા દ્વારા આગામી તા.૨૬મે ને શુક્રવારે રાત્રે ૯ કલાકે નેકનામના પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી રામદેવ ગૌ-સેવા રામામંડળ નેકનામ દ્વારા રામાપીરનું જીવનચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. જેથી ચકમપર તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text