મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું : સગીરા, મહિલા અને વૃદ્ધનો ગળાફાંસો

- text


વાંકાનેરના વઘાસિયામા વૃદ્ધનું અગમ્ય કારણોસર મૃત્યુ

મોરબી : મોરબી જિલ્લાના જાણે કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અપમૃત્યુની અલગ અલગ ચાર ઘટના બની છે. જેમાં સગીરા, મહિલા અને વૃદ્ધે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે તો વાંકાનેરના વઘાસિયામા વૃદ્ધનું અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હતું.

પ્રથમ બનાવમાં વાંકાનેર શહેરના જીનપરામાં આશિયાના સોસાયટીમાં રહેતી હીનાબેન રાજુભાઇ નામની 15 વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં વાંકાનેરના નવા વઘાસિયા ગામે રહેતા બહાદુરસિંહ ગાંડુભા ઉ.70નું અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હતું.

- text

જ્યારે ત્રીજા બનાવમાં માળીયા તાલુકાના નિરુબેન નગરમાં રહેતા હમીદાબેન સલેમાનભાઇ ત્રાયા ઉ.35 નામના મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક હમીદાબેનના 15 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હળવદના રાતભર નજીક આવેલ પવનચકીના સબ સ્ટેશનમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મધ્યપ્રદેશના રામનરેશ ચિરોજીલાલ ઉ.60નું મૃત્યુ નિપજતા પોલીસે તમામ બનાવમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text