ટંકારાના હડમતીયા ગામે 20 ઘેટાના ભેદી રિતે ટપોટપ મોત, 12ની હાલત ગંભીર

- text


ફેક્ટરીનુ કેમિકલ યુક્ત પાણી પીવાથી મોત થયાનો પશુપાલકનો આક્ષેપ : પશુ આરોગ્ય વિભાગને જાણ કરતા સ્થળ પર જવા રવાના 

ટંકારા : ટંકારાના હડમતીયા ગામે 20 ઘેટાના ભેદી રિતે ટપોટપ મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યારે 12ની હાલત ગંભીર છે. આ મોત પાછળ ફેક્ટરીનુ કેમિકલ યુક્ત પાણી જવાબદાર હોવાનો પશુપાલકે આક્ષેપ પણ કર્યો છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ચરાણ માટે ગયેલા મોતીભાઈ કરશનભાઈ સાટકાના એકસો જેટલા ધેટા બકરાના ટપોટપ મોત થયા છે અને જોત જોતામાં 18 જેટલા જીવ સિમમા મુત્યુ પામ્યા હતા. જ્યારે 2નું ઘરે પહોચી મરણ થયુ હતું. તો એક ડઝનથી વધુની હાલત ગંભીર છે. ત્યારે આ અંગે તાલુકા પશુ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ભોરણીયાનો સંપર્ક કરતા પોતે સ્થળ પર પહોંચવા રવાના થયાનું જણાવ્યું હતું અને આરોગ્ય ટીમ પણ તાકીદે સારવાર હાથ ધરશે તેમ કહ્યું હતું.

- text

આ ઘટના અંગે માલધારી એવો આક્ષેપ કર્યો હતો કે સીમમાં કેમિકલ ફેકટરીનુ પાણી બહાર આવતુ હોય જે આ ઘેટા બકરા એ પીધા બાદ મુત્યુ થયું છે અને હજી રાત્રી દરમ્યાન કેટલા ઘેટા બકરાનુ શું થશે એ કહેવુ મુશ્કેલ બન્યું છે.

- text