12 મેના રોજ સતવારા સહકાર મંડળ- મોરબી દ્વારા યોજાશે ભવ્ય સમૂહ લગ્નોત્સવ

- text


મોરબીઃ આવતીકાલે તારીખ 12 મેના રોજ મોરબીમાં સતવારા સહકાર મંડળ- મોરબી દ્વારા આઠમા સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના બોરીયાપાટી લીલાપર કેનાલ રોડ પરની રામકો રેસિડેન્સી ખાતે આવતીકાલે 12 મેના રોજ સતવારા સમાજનો આઠમો સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ સમૂહ લગ્નોત્સવમાં 42 નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર દીકરીઓને ભેટ સ્વરૂપે 108 જેટલી જીવન જરૂરી વસ્તુઓ આપવામાં આવશે. સમૂહ લગ્ન પ્રસંગે 11 મેના રોજ રાત્રે 9 કલાકે રાસ-ગરબા યોજાશે. જ્યારે 12 મેના રોજ સવારે 9 કલાકે ગણેશ સ્થાપન/મંડપ મુહૂર્ત, સાંજે 6 કલાકે ભોજન સમારંભ, રાત્રે 9-30 કલાકે જાન આગમન, રાભે 9-45 કલાકે સામૈયુ, રાત્રે 10-30 કલાકે હસ્ત મેળાપ, રાત્રે 12 કલાકે આશીર્વચન અને રાત્રે 3 કલાકે કન્યા વિદાય થશે. આ સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીઓને આશીર્વાદ આપવા વિવિધ સંતો-મહંતો, રાજકીય-સામાજિક આગેવાનો, અધિકારીઓ સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે.

- text

kankotri samuh lagna

- text