ધ્રાંગધ્રાના નારીચાણા ગામે 8 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

- text


હળવદ: ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે આજ રોજ હનુમાનજી મદિરનાં આંગણે તૃતિય સમૂહ લગ્નનું ધામધૂમ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 8 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. તમામ દીકરીઓને કરિયાવરમાં તિજોરી, ફ્રીઝ, ટીવી એવી નાની મોટી 178 વસ્તુનું દાન કરવામાં આવ્યું હતું.

મંદીરનાં કોઠારી હનુમાનદાસ બાપુ અને મહંત રોહિતદાસ બાપુ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નનું સંચાલન સરપંચ હસુભાઈ પટેલ અને ગામલોકો દ્વારા કરાયું હતું અને સમગ્ર ગામ એક રસોડે જમ્યુ હતું. આ સમૂહ લગ્નમાં ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. સમૂહલગ્નનાં આગળની રાત્રે રાસગરબા તથા સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં યુવાનો અને મહિલાઓએ ખૂબ જ સેવા આપી અને આ પ્રસંગને સફળ બનાવ્યો હતો.

- text

- text