- text
વાંકાનેર: રમઝાન ઈદના પર્વ નિમિત્તે આગામી તારીખ 22 એપ્રિલ ને શનિવારથી 24 એપ્રિલ ને સોમવાર સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત ભાઈઓ, દલાલ ભાઈઓ અને યાર્ડ સાથે સંકળાયેલા લોકોને જાણ કરવામાં આવી છે કે, રમઝાન ઈદના તહેવાર નિમિત્તે 22 એપ્રિલ ને શનિવારે જાહેર રજા રહેશે આ ઉપરાંત 23 તારીખે રવિવાર અને 24 એપ્રિલ ને સોમવારના રોજ રજા રાખવામાં આવી છે. તેથી આ દિવસોમાં માર્કેટિંગ યાર્ડમાં ઉતરાઈ બંધ રહેશે અને 24 એપ્રિલ ને સોમવારના રોજ ઉતરાઈ ચાલુ થશે.
- text
- text