- text
મોરબીઃ મોરબી તાલુકાના નવા બેલા ગામે ભુગર્ભ ગટરની સુવિધા આપવા માટે ગામના રહેવાસી અજીતભાઈ ચાવડાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.
- text
તાલુકા વિકાસ અધિકારીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે , નવા બેલા ગામમાં મેઈન રોડની વચ્ચેની શેરીઓમાં બાપા સિતારામ મંદિરથી હનુમાનજી મંદિર સુધીમાં ભુગર્ભ ગટર નથી. જેથી ગ્રામજનો ઘરના પાણી શેરીમાં કાઢે છે. જેના કારણે ખૂબ જ ગંદકી થાય છે. ગામ લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. વાહનચાલકોને પણ પાણીના કારણે ચાલવું મુશ્કેલ બન્યું છે. ત્યારે ગામમાં ભુગર્ભ ગટરની સુવિધા ઉભી કરી આપવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગણી ઉઠાવી છે.
- text