રાસંગપરના રામામંડળ ગ્રુપ દ્વારા શહીદ પરિવારોને રૂ.2.53 લાખની સહાય અર્પણ 

- text


મોરબી : માળીયાના રાસંગપરના આઈ શ્રી ખોડિયાર માતાજી રામાંમંડળ ગ્રુપ દ્વારા શહીદ પરિવારોને રૂ.2.53 લાખની સહાય અર્પણ કરવામાં આવી છે.

રાસંગપરના આઈ શ્રી ખોડિયાર માતાજી રામાંમંડળ ગ્રુપના પ્રમુખ અમૃતભાઈ બાવરવા, મહાદેવભાઈ આદ્રોજા, સરપંચ અશોકભાઈ ધુમલિયા, માવજીભાઈ શેરસિયા, રાજુભાઈ બુડાસણા, વિનોદભાઈ સનાળિયા, અમુભાઈ મારાજના હસ્તે ટિકરના વીર શહીદ ગંભીરસિંહ ભૂપતસિંહ, વીર શહીદ વનરાજભાઈ કાનાભાઈ દેગામા (ઝીંઝુડા), વીર શહીદ ભાવેશભાઈ ધીરુભાઈ રાઠોડ તથા વીર શહીદ રઘુભાઈ રાયાભાઈ બાવળિયાના પરિવારોને રૂબરૂ મળી સત્વના પાઠવી તેમના આર્થિક ઉપાર્જન માટે રૂ.2.53 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.

- text

- text