વાંકાનેરના તિથવા ગામે 7 એપ્રિલથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામે માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન માનું ધામ ખાતે આગામી તારીખ 7 એપ્રિલથી 14 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન દ્વારા આગામી તા. 7 એપ્રિલ ને શુક્રવારથી 13 એપ્રિલ ને ગુરુવાર સુધી માનું ધામ તિથવા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાનયજ્ઞના પ્રખર વક્તા ભાગવતાચાર્ય શાસ્ત્રીજી હિંમતભાઈ જોશી (હજનાળીવાળા, હાલ મોરબી) વ્યાસપીઠ પર બીરાજી સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 દરમિયાન કથાનું રસપાન કરાવશે. ભાગવત સપ્તાહના મુખ્ય પોથીદાતા ભાવેશભાઈ ભાનુશંકર પંડ્યા અને ભાગવત સપ્તાહના પ્રેરણામૂર્તિ કૃષ્ણ (સુરેશભાઈ) નરહરિ પંડ્યા છે. કથા દરમિયાન દરરોજ વિવિધ પાવન પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે.

- text

- text