- text
હળવદના મયાપુર ગામમાં નવ ગાળા સુધીનો વાયરની ચોરી
હળવદ : હળવદના મયાપુર ગામના ઇલેવન કેવીના નવ ગાળા સુધીનો વાયરની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. રાત્રે પાવર બંધ કરીને અજાણ્યા શખ્સોએ વાયર ચોરી ગયા હતા.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મિયાણી સબ સ્ટેશનમાંથી આવતા ખોડ જ્યોતિગ્રામ યોજનામાં આવેલ મયાપુર ગામના ઇલેવન કેવીના નવ ગાળા સુધીનો વાયર રાત્રિના સમયે અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા અને માયાપુર ગામને રાતના સમયે લગભગ 3 કલાક સુધી પાવર બંધ કરીને ચોર ચોરી કરી ગયા હતા. આ બનાવથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જો કે હજુ આ બનાવની ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે પોલીસ આ વિસ્તારમાં ચોરીના બનાવને લઈને નાઈટ પટ્રોલીગ વધારી તસ્કરો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
- text
- text