- text
ટંકારા : ટંકારા આર્ય સમાજની યુવા પાંખ આર્યવીર દળ દ્વારા શહિદ દિવસ નિમિતે દેશના નરબંકા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં જોડાવા માટે ટંકારાવાસીઓને જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે.
ટંકારાના આર્યવીર દળ દ્વારા આવતીકાલે તારીખ 23 માર્ચ ને ગુરૂવારે રાત્રે 8 કલાકે દેશ માટે શહીદી વહોરનાર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદ દિવસ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ આપવા અને દેશમાં થતા અન્યાય સામે બંડ પોકારી આજનો યુવાન દેશદાઝથી તેના પ્રાણ પણ માતૃભૂમિ માટે ન્યોછાવર કરી શકે તેવી ભાવના સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે.
- text
મશાલ રેલી આર્ય નગર ધર્મ ભક્તિ સોસાયટી સુદરજી કાપડિયાના ઘરેથી રાત્રે 8 વાગ્યે પ્રસ્થાન કરશે પછી શહેરના મુખ્ય રાજમાર્ગ પર નીકળશે અને અંતમાં આર્ય સમાજ ખાતે પુર્ણ થશે. આ તકે બહોળી સંખ્યામાં હાજર રહી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ટંકારાની જનતાને આર્ય સમાજના દેવકુમાર પડસુંબિયાએ અપીલ કરી છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્યવીર દળના ચેતન સાપરીયા, પંડિત સુહાસજી, રજનીકાંત મોરસાણીયા, યોગેશ કારાવડિયા, હસમુખભાઈ દુબરીયા, ભાવેશ ગઢવી સહિતના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
- text