માળીયાના જસાપરની શુક્રમણિ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

- text


માળીયા : માળીયા તાલુકાના જસાપર ગામની શુક્રમણિ સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય, વિવિધ ગુણ કેળવાય અને આર્થિક ઉપાર્જનનો અનુભવ મળે તે હેતુથી આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

એસએમસી સભ્ય સુરેશભાઈ હમીરભાઇ ચાવડા તેમજ મેરામભાઈ ચાવડા અને સુરેશભાઈ કાનગડની હાજરીમાં આનંદ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ આનંદ મેળામાં જુદા જુદા 14 થી 15 સ્ટોલમાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓ અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી વેચાણ માટે મૂકી હતી. જેમાં શાળાના શિક્ષકો બાળકો અને વાલીગણ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોની વાનગી ખરીદી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓએ પણ વિવિધ વાનગીઓની મજા માણી હતી. વાલીઓની ઉપસ્થિતિ બદલ શાળાના આચાર્ય અશ્વિનભાઈ આહિરે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text