મચ્છરોનો ખાત્મો : હળવદના જુના દેવળીયા આરોગ્ય કેન્દ્ર દ્વારા જળાશયોમાં પોરભક્ષક માછલીઓ મૂકાઈ

- text


હળવદ : મોરબી જિલ્લામા મચ્છરજન્ય રોગચાળો ના વકરે તે માટે જુના દેવળીયા ગામમાં તેમજ આજુબાજુ પાણી ભરેલા ખૂલ્લા જળાશયોમાં પોરભક્ષક માછલીઓ છોડી મચ્છરોનો ખાત્મો બોલાવવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બાવરવાની સૂચના અન્વયે ડો. ભાવિન અને તાલુકા સુપરવાઈઝર ચંદુભાઇના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડો. નિશા મેડમ દ્વારા MPHW ની ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા PHC હેઠળ આવતા ગામોમાં કાયમી ભરાય રહેતા ખૂલ્લા પાણીના જળાશયો કે જેમાં પોરાનાશક દવા ના નાખી શકીએ કે નિયમિત સાફ કરવા મુશ્કેલ હોય જેવા કે વોકળા, કૂવા, નાની ખેતતલાવડી, ભો ટાકા, વગેરેમાં પોરભક્ષક માછલીઓ મૂકવામાં આવી છે. જેથી ગામમાં મચ્છરનો ઉપદ્રવ ના થાય અને મચછરજન્ય રોગચાળો ના વકરે. વધુમાં આ તકે PHC સુપરવાઈઝર બસિયાભાઈ દ્વારા PHC હેઠળ આવતા ગામોને પણ અપીલ કરવામાં આવી હતી કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા સ્થળ જોવા મળે તો તેઓનો સંપર્ક કરી આ ઝુંબેશમાં સહભાગી બનીને લોક સહકાર થકી ગુજરાત સરકારના મલેરિયમુક્ત અભિયાનને સાકાર કરી શકીએ.

- text

- text