- text
મોરબીમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક આવેલો બદલાવ : અસહ્ય બફારા વચ્ચે વાદળો છવાયા
મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ આજે મોરબીના વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો અને ફાગણ મહિને ગજવીજને કડાકા-ભડાકા સાથે અષાઢી માહોલ જોવા મળતા માવઠાની ચિંતામાં ખેડૂતોને ચિંતાતુર કરી મુક્યા હતા.
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં માવઠાના માહોલ વચ્ચે આજે બપોર બાદ મોરબીના વાતાવરણમાં અચાનક જ બદલાવ આવ્યો હતો અને ગજવીજના કડાકા-ભડાકા વચ્ચે વાતાવરણ ગોરંભાયું હતું. સાથે જ વાદળોની જમાવટ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખાસ કરીને હાલમાં ખેતરોમાં જીરું, વરિયાળી, ઘઉં, ચણા સહિતના રવિ પાકો તૈયાર ઉભા છે તેવા સમયે જ માવઠાના એંધાણ જોવા મળતા ખેડૂતવર્ગ ચિંતાતુર બન્યો છે.
- text
- text