મોરબી: ઉમા રેસીડેન્સી સોસાયટી આયોજિત રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો આજથી પ્રારંભ

- text


મોરબી: મોરબીના ઘુંટુ રોડ પર આવેલી ઉમા રેસીડેન્સી સોસાયટી ખાતેના રામજી મંદિર ખાતે આજે તારીખ 28 ફેબ્રુઆરી ને મંગળવારના રોજથી રામ ચરિત્ર માનસ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ થયો છે.

રામચરિત્ર માનસ જ્ઞાનયજ્ઞ કથા તારીખ 28 ફેબ્રુઆરી ને મંગળવારથી તારીખ 8 માર્ચ ને બુધવાર સુધી ચાલશે. આ કથાના વક્તા નિમાવત બાપુ પ્રવિણદાસજી ગોપાલદાસજી (માથક વાળા) દરરોજ સવારે 10 થી 12 અને બપોરે 3 થી 6 કલાક દરમિયાન કથાનું રસપાન કરાવશે. આ ઉપરાંત 4 માર્ચ ને શનિવારના રોજ ભવ્ય સંતવાણી તથા લોકડાયરાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જેમાં ભજનીક લાલજીભાઈ વિડજા સાજીંદા ગ્રુપ સાથે ભજનની રમઝટ બોલાવશે. તો આ કથાનો લ્હાવો લેવા સર્વે ધર્મ પ્રેમી ભાઈઓ-બહેનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text