મોરબી જિલ્લામાં લોક અદાલતમાં ૪૭૮૨ કેસોનો નિકાલ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું અને દિવસભર ચાલેલી લોક અદાલતમાં ગઈકાલે ૪૭૮૨ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

- text

મોરબી જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં કુલ ૧૧,૯૫૪ કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંથી લોક અદાલતમાં કુલ ૪૭૮૨ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રી લીટીગેસન વિજબીલના કેસ, પ્રોહિબિશન કેસો, જમીન -મિલકતના કેસ, ચેક રીટર્નના કેસ, ફેમિલી તકરારના કેસ, વાહન અકસ્માત સહિતના કેસો તેમજ ટ્રાફીકને લગતા ઈ -ચલણ રાખવામા આવેલ હતા. જેમાંથી રૂ.૧૮,૮૪,૫૫,૯૭૪નું લોક અદાલતમા સેટલમેન્ટ કરવામા આવ્યું હતું.

- text