મોરબીમાં સ્વર્ગસ્થ ઉષાબેન જેસ્વાણીના સ્મરણાર્થે સુવર્ણપ્રાશન કેમ્પસ યોજાયા

- text


મોરબી હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં 12 નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસનું આયોજન કરવામાં આવેલ. જેમાં 1300થી વધુ બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવેલ.

આ અંગે હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સહમંત્રી સાગર રવિચંદ જેસ્વાણીએ યાદીમાં જણાવેલ કે મોરબીના ભવિષ્યરૂપ નવી પેઢીના બાળકોને વધુ સક્ષમ બનાવવા આ કેમ્પસનું આયોજન કરેલ આગામી 4 માર્ચનાં પુષ્ય નક્ષત્રના દિવસે ફરીથી 12 કે તેથી વધુ “નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ”નું આયોજન કરેલ છે

- text

- text