અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ વાંકાનેરના હોદેદારોની વરણી થઇ 

- text


વાંકાનેર : અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ વાંકાનેરના નવા હોદેદારોની વરણી કરવા માટે શ્રી પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની મિટિંગ મળી હતી જેમાં રાજપૂત સમાજના મહાનુભાવો સહિતના બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી.

વાંકાનેર ગરાસિયા બોર્ડિંગ ખાતે મળેલ રાજપૂત સમાજની અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ વાંકાનેરની મિટિંગમાં પ્રમુખ તરીકે જાડેજા રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ, મહામંત્રી તરીકે જાડેજા બલભદ્રસિંહ રણજીતસિંહ, ઉપપ્રમુખ પદે જાડેજા વીરેન્દ્રસિંહ ફતેહસિંહ, વાળા યોગીરાજસિંહ દિલુભા, ઝાલા સહદેવસિંહ સી, ઝાલા કૃષ્ણસિંહ અશોકસિંહ, ઝાલા પરાક્રમસિંહ એમ. સહમંત્રી તરીકે ઝાલા કિરીટસિંહ કનકસિંહ, ઝાલા કિશોરસિંહ બટુકસિંહ, ઝાલા પ્રશાંતસિંહ પી., જાડેજા જલદીપસિંહ જયેન્દ્રસિંહ, ઝાલા દ્રુવરાજસિંહ પ્રદ્યુમનસિંહની વરણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત સંગઠન મંત્રી તરીકે ઝાલા દીપકસિંહ ડી., ઝાલા સતુભા કિરીટસિંહ, ઝાલા હરદીપસિંહ વનરાજસિંહ, ઝાલા માલદેવસિંહ મેરૂભા, ઝાલા રાજેન્દ્રસિંહ કિશોરસિંહ, ખજાનચી તરીકે ઝાલા વાસુદેવસિંહ રામસિંહ, સખજાનચી તરીકે ઝાલા યશપાલસિંહ ખુમાનસિંહ તેમજ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પદે જાડેજા હરપાલસિંહ ઘનશ્યામસિંહ અને ઝાલા હરદેવસિંહ બી. સહિતના હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી. નિયુક્તિ બાદ ઉપસ્થિત સમાજના અગ્રણીઓ દ્વારા હોદેદારોની ફૂલહાર તથા સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતુ.

- text

- text