- text
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શૈક્ષણિક તેમજ સામાજિક પ્રશ્નો અંગે પ્રસ્તાવ પારીત કરાશે
મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા આવતીકાલે તારીખ 24 જાન્યુઆરી ને મંગળવારના રોજ ‘છાત્ર હુંકાર’ સંમેલન યોજાશે.આ સંમેલનમાં મોટિવેશનલ સ્પીકર હાજર રહેશે અને વિદ્યાર્થી પરિષદ દ્વારા શૈક્ષણિક તેમજ સામાજિક પ્રશ્નો અંગે પ્રસ્તાવ પારીત કરાશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી દ્વારા તારીખ 24 જાન્યુઆરીને મંગળવારના રોજ મોટી સંખ્યામાં જિલ્લા સંમેલન ‘છાત્ર હુંકાર’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન સંસ્કાર બ્લડબેંક ખાતે યોજાશે જેમાં જિલ્લાભરમાંથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.જિલ્લા સંમેલન અંતગર્ત મોરબી જિલ્લાના વિવિઘ શૈક્ષણિક તેમજ સામાજિક પ્રશ્નો ધ્યાને લઇને ABVP મોરબી દ્વારા પ્રસ્તાવ પારિત કરવામાં આવશે. સંમેલનના મુખ્ય વક્તા તરીકે લેખક, મોટીવેશનલ સ્પીકર જયભાઈ વસાવડા અને કનુભાઈ કરકર ઉપસ્થિત રહેશે. સંમેલન બાદ શોભાયાત્રા નીકળશે. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ પદાધિકારી સહિત કાર્યકર્તાઓ હાજર રહેશે.
- text
- text