- text
મોરબીઃ પંજાબના જલંધરમાં ગત તારીખ 7 ડિસેમ્બરના રોજ શહીદ થયેલા ગાંધીનગર જિલ્લાના વાસણા ચૌધરી ગામના જવાનના પરિવારને મળીને મોરબીના સામાજિક કાર્યકર અજયભાઈ લોરીયાએ 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.
મોરબીના સેવાભાવી યુવાન અને મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લારીયાએ વાસણા ચૌધરી ગામના શહીદ જવાન દિનેશભાઈ પટેલના માતા-પિતાને મળીને 1 લાખનો ચેક આપીને તેમના શહીદના માતા-પિતાને સાંત્વના પાઠવી હતી અને દેશ કાજે શહીદ થયેલા દિનેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરાયો હતો. મહત્વનું છે કે, અજયભાઈ લોરીયા આ પહેલા પણ અનેક શહીદોના પરિવારનો મળીને તેઓને 1 લાખની સહાયનો ચેક અર્પણ કરી ચુક્યા છે.
- text
- text