મોરબીમાં મહામંડલેશ્વર સંતદાસજી મહારાજની તિથિ નિમિત્તે 26મી એ નવચંડી યજ્ઞ અને ધૂન 

- text


મોરબી: મહામંડલેશ્વર સંતદાસજી મહારાજની તિથિ નિમિત્તે આગામી 26મી જાન્યુઆરીએ નવચંડી યજ્ઞ, ધૂન અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

મહામંડલેશ્વર શ્રીશ્રી 1008 સંતદાસજી મહારાજની તિથિ નિમિત્તે આગામી તારીખ 26/1/2023 ને ગુરુવારના રોજ વનરાવન હનુમાનજી મહારાજ, કાલિકાનગર પાનેલી વીડી, મોરબી મુકામે નવચંડી યજ્ઞ, સાંજે 5:00 કલાકે મહાપ્રસાદ તેમજ રાત્રે 9:00 કલાકે ગૌવંશ દર્શન ધૂન મંડળ-સુરતનો કાર્યક્રમ યોજાશે. શ્રી જાનકીદાસ બાપુ ગુરુ મહામંડલેશ્વર શ્રી 1008 શ્રીશ્રી ભગવતીદાસ બાપુ આયોજીત આ કાર્યક્રમમાં સર્વેને સહભાગી થવા અનુરોધ કરાયો છે.

- text

- text