જલારામ મંદિરના સદાવ્રતમાં પત્નીની પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદ આપી શ્રદ્ધાંજલિ અપાઈ

- text


મોરબીઃ મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં સ્વર્ગસ્થ પત્નીની પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદ યોજીને જયંતિભાઈ ધીરજલાલ વેદ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

સ્વ. હર્ષાબેન જયંતિભાઈ વેદની પુણ્યતિથુ નિમિત્તે તેમના પતિ જયંતિભાઈ ધીરજલાલ વેદ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, દીનેશ સોલંકી, મનિષ પટેલ, સહીતનાઓએ સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

- text

- text