મોરબી-ગજડી બસ સમયસર નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

- text


ટંકારા : મોરબી-ગજડી રૂટની બસ છેલ્લા ઘણા સમયથી સમયસર ન આવતી હોવાની રજૂઆત ડેપો મેનેજરને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે સાથે જ જો બસ સમયસર નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ટંકારા શાખાના નગર મંત્રી ધ્રુવરાજસિંહ ઝાલાએ ટંકારા ડેપો મેનેજરને લેખિતમાં જણાવ્યું છે કે, મોરબી-ગજડીની બસ સમયસર આવતી નથી જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો આ બસ ત્રણ દિવસમાં સમયસર નહીં કરવામાં આવે તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

- text

- text