ઝૂલતાપૂલ દુર્ઘટનાના સદગતોને શ્રદ્ધાંજલિ આપવા કાલે શુક્રવારે ભજનનો કાર્યક્રમ

- text


મોરબી : 30 ઓકટોબર 2022 એટલે બ્લેક રવિવાર. આશરે 135થી વધુ લોકો આનંદ માણવા સહ પરિવાર સ્નેહીજન સાથે ફરવા નીકળેલા અને મોતનો કોળિયો બની ગયા. ઝુલતાપૂલ દુર્ઘટનાની બીજી માસિક પુણ્યતિથી 30 ડિસેમ્બરના રોજ દિવંગત આત્માની શાંતિ અર્થે એવન્યુ પાર્કનું મારુતી સુંદરકાંડ મહિલા મંડળ અને વિશ્વકર્મા સોસાયટી ગોપી મંડળ આયોજીત ભજનનો કાર્યક્રમ વિશ્વકર્મા સોસાયટી મંદિરના મેદાનમાં નીલકંઠ સ્કૂલ સામેની શેરી રવાપર રોડ ખાતે બપોરે 3 થી 5 રાખેલ છે. તો મોરબીની ધર્મપ્રેમી જનતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પધારવા જણાવાયું છે.

- text

- text