ટંકારા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર અને ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણ

- text


ટંકારા : ટંકારા તાલુકા કક્ષાના આંબેડકર ભવનમાં ડો.બાબાસાહેબ આંબેડકર અને ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. પ્રતિમા અનાવરણ પ્રસંગે શોભાયાત્રા, સન્માન અને પ્રવચન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ટંકારા વિશ્રામગૃહ સામે લતીપર રોડ ઉપર આવેલા તાલુકા કક્ષાના આંબેડકર ભવન ખાતે ટંકારા પ્રમુખ મનસુખભાઈ જે. રાઠોડ, ઉપપ્રમુખ મોહનભાઈ જે. સોલંકી તથા સમાજના અગ્રણી આગેવાનો અને કાર્યકરો દ્વારા ભવ્ય શોભાયાત્રા લતીપર ચોકડીથી આંબેડકર ભવન સુધી યોજવામાં આવી હતી. અને બન્ને પ્રતિમાનું ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન સમાજના તેજસ્વી તારલા અને આગેવાનો દ્વારા બહુપયોગી વાત રજુ કરવામાં આવી હતી. આ તકે સર્વે સમાજના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text