- text
મોરબીઃ મોરબીના જલારામ મંદિરે દર મહિનાની 4 તારીખે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આગામી 4 જાન્યુઆરીના રોજ પંકજભાઈ કોટક (નવસારીવાળા) પરિવારના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે.
ગુજરાતી નામાંકિત આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ- રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર- મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તારીખ 4 જાન્યુઆરી ને બુધવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન મોરબી લોહાણા સમાજ અગ્રણી પંકજભાઈ કોટક (નવસારી વાળા) પરિવારના સહયોગથી વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે.
- text
ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકિંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા- ૮૫૧૧૦૬૦૦૬૬નો સંપર્ક કરવા જાણાવાયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 16 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 4883 લોકોએ લાભ લીધો હતો તેમજ 2180 લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.
- text