31 ડિસેમ્બરે મોરબીમાં ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા ટેકફેસ્ટનું આયોજન

- text


મોરબી : જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા STEM એક્ટિવિટીને લગતાં પ્રોજેક્ટ તેમજ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે જે અંતર્ગત તારીખ 31 ડિસેમ્બર ને શનિવારના રોજ મોરબીમાં ટેકફેસ્ટ-2022 (વિજ્ઞાનમેળાનું) આયોજન કરવામાં આવ્યું છે.

ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર મોરબી દ્વારા 31 ડિસેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલા ઉમા રિસોર્ટ ખાતે આ ટેકફેસ્ટ (વિજ્ઞાન મેળો) યોજાશે. આ પ્રદર્શન નિહાળવા તેમજ મોરબીની જનતા, શાળા-કોલેજના બાળકોને ભાગ લેવા માટે આમંત્રણ પાઠવાયું છે. આ ટેકફેસ્ટમાં ભાગ લેનાર તમામ વ્યક્તિને સર્ટિફિકેટ તેમજ વિજેતા ટીમને ટેકફેસ્ટ-2022 એવોર્ડ આપવામાં આવશે. આ ટેકફેસ્ટમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. જે ટીમના ઈનોવેટિવ આઈડિયા હશે તે ટીમને પ્રોજેક્ટ મોડેલ તેમજ પેટન્ટ સુધી સેન્ટર દ્વારા મદદ કરવામાં આવશે. ટેક ફેસ્ટની વધુ માહિતી માટે 79843 78128 પર સંપર્ક કરવો અને રજિસ્ટ્રેશન કરાવવા માટે આ લિંક https://forms.gle/Mwnh8C6k9EHq2Bgd7 પર વિઝિટ કરવા જણાવાયું છે.

- text

- text