વ્યાજખોરોના ત્રાસથી હડાળાના દંપતીએ ઝેરી દવા પીધી હતી

- text


ટંકારાના છતર ગામે ઝેરી દવા પી આપઘાત કરવાના બનાવમાં ગુન્હો નોંધવા તજવીજ

ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામની શાળા નજીક ઝેરી દવા પી લઈ દંપતિએ આપઘાત કરી લેવા પ્રકરણમાં ટંકારા પોલીસે મૃતકના પુત્રના જાહેર કર્યા મુજબ વ્યાજખોરોના ત્રાસથી માતા પિતાએ આ પગલું ભર્યાની નોંધ કરી છે, સાથે જ આ ચકચારી ઘટનામાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ ચાલુ હોવાનું જાણવા મળે છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના છતર ગામની પ્રાથમિક શાળા નજીક ગત તા.30ના રોજ બપોરના સમયે નિલેશભાઈ મનસુખભાઇ ખૂંટ ઉ.45 અને તેમના પત્ની ભારતીબેન નિલેશભાઈ ખૂંટ ઉ.43 નામના મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેમના રાજકોટ રહેતા પોલીસમેન પુત્ર મિલનભાઈ નિલેશભાઈ ખૂંટના જાહેર કર્યા મુજબ ટંકારા પોલીસે વ્યાજખોરોના ત્રાસથી તેમના માતાપિતાએ આપઘાત કર્યો હોવાનું જણાવતા હાલમાં ટંકારા પોલીસે સીઆરપીસી કલમ 174 મુજબ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા તજવીજ શરૂ કરી છે.

- text

- text