કાનાભાઈએ મતદાન કર્યું : પુલ દુર્ઘટનાના દોષિતોને કડક સજા મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો

- text


મોરબી : મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર કાન્તિલાલ આજે મતદાન કરવા તેમના પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને ઇનામ આ સીટ મળી નથી પણ નરેન્દ્રભાઇ મોદી અને જનતાનો મારા પર વિશ્વાસને કારણે મને ટીકીટ મળી છે. આ મતદારોની લાઈનો વડાપ્રધાનના વિકાસની રાજનીતિમાં ભરોસો હોવાનું જણાવ્યું હતું. તેઓએ મતદાન કરીને મીડિયા સાથેના પ્રશ્નના જવાબ પુલ દુર્ઘટનાને સરકાર ગંભીર ગણીને તપાસ કરી રહી છે. જે જે દોષિત હશે તેમની સામે કડક કાર્યવાહી કરાશે તેમ તેમણે જણાવ્યું હતું. જ્યારે તેમની પુત્રી જહાંનવીએ પણ પ્રથમ વખત મતદાન કરી ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો.

- text

- text