11 મી નવેમ્બરે મોરબીમાં હિન્દુ રાષ્ટ્ર ધર્મસભાનું આયોજન 

- text


મોરબી: શંકરાચાર્ય સ્વાગત સમિતિ મોરબી દ્વારા આગામી તારીખ 11 નવેમ્બર ને શુક્રવારના રોજ મોરબી શહેરના રવાપર રોડ પર આવેલા સોમનાથ સોસાયટીના કોમન પ્લોટમાં હિન્દુ રાષ્ટ્ર ધર્મસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ હિન્દુ રાષ્ટ્ર ધર્મ સભામાં ગોવર્ધન મઠ પુરીપીઠાધેશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી મહાભાગે ઉપસ્થિત રહીને હિન્દુ રાષ્ટ્ર ધર્મસભાને સંબોધન કરશે. 10 નવેમ્બર ને ગુરૂવારના રોજ સાંજે 5-30 કલાકે સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી મહાભાગેનું આગમન થશે. 11 નવેમ્બરને શુક્રવારના રોજ સવારે 11 કલાકે સંગોષ્ઠિ દીક્ષા દર્શનનું આયોજન કરાયું છે અને સાંજે 5 કલાકે તેઓ ધર્મસભાને સંબોધન કરશે. જ્યારે 12 નવેમ્બર ને શનિવારના રોજ સવારે 11 કલાકે સંગોષ્ઠિ દીક્ષા દર્શનનું આયોજન કરાયું છે. ત્યારે આ કાર્યક્રમમાં ધર્મ પ્રેમી જનતાને જોડાવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text