મોરબી સ્વામિનારાયણ મંદિરે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો

- text


મોરબી : મોરબીના દરબાર ગઢ પાસે આવેલા મહિલાઓ માટેના સ્વામિનારાયણ મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો. પરંપરાગત તેમજ શ્રદ્ધાભેર તુલસીજીના વિવાહ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભગવાનને લીલા શાકભાજી અને ફળોનો ભોગ ધરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ ઉમટી પડીને તુલસી વિવાહનો પ્રસંગ શ્રદ્ધાભેર ઉજવ્યો હતો.

- text

- text