મોરબીમાં મચ્છુ માતાજીના મંદિર નજીક સ્કૂલ બસ હડફેટે ઘવાયેલ બાળકીનું મૃત્યુ

- text


મોરબી : મોરબી દરબાર ગઢ નજીક મચ્છો માતાજીના મંદિર પાસે ગત તા.3ના રોજ સ્કૂલ બસ હડફેટે લેતા ત્રણ બાળકો અને મહિલાઓને ઈજાઓ પહોંચ્યા બાદ સારવારમાં રહેલ 11 વર્ષની બાળકીનું મૃત્યુ નિપજતા બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નાની બજારમાં રહેતા રસીદાબેન સમીરભાઇ બ્લોચ નામના મહિલાએ આરોપી બસ ચાલક ભરતભાઇ નાનજીભાઇ પઢીયાર રહે. ખત્રીવાડ વઢવાણીયા શેરી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતી કે, ગત તા.3ના રોજ તેઓ તેમના ત્રણ બાળકો સાથે મચ્છો માતાના મંદિર નજીક રાધા કૃષ્ણ મંદિર પાસે ચાલીને જતા હતા ત્યારે બસ ચાલકે પાછળથી હડફેટે લેતા રસીદાબેનને જમણા હાથમાં ફેકચર થયું હતું અને તેમની દિકરી તસ્કીનને પડખા ના ભાગે દિકરા અલીને માથાના ભાગે તેમજ તેમની દિકરી નૈકી ઉ.11ને છાતીના ભાગે ઇજાઓ થતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.

- text

ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રસીદાબેન સમીરભાઇ બ્લોચની ફરિયાદના આધારે બસ ચાલક ભરતભાઇ નાનજીભાઇ પઢીયાર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text