મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપતી વિવિધ સંસ્થાઓ

- text


સતધામ સ્વામિનારાયણ આશ્રમ ટ્રસ્ટ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દિવગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ , બિલિયા ગામે શોકસભા યોજાઈ

મોરબી : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનાએ કઠણ કાળજા ધરાવતા લોકોના હૈયા હચમચાવી દીધા છે. સમગ્ર દેશ પુલ દુર્ઘટનાના હતભાગીઓને ભારે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. ત્યારે સતધામ સ્વામિનારાયણ આશ્રમ ટ્રસ્ટ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દિવગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

સતધામ સ્વામિનારાયણ આશ્રમ ટ્રસ્ટ દ્વારા મોરબીની પુલ દુર્ઘટનાના દિવગતોના આત્માની શાંતિ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી છે અને પુલ દુર્ઘટનાના તમામ દિવગતોને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તેમજ મૃતકોના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે. આ ઉપરાંત મોરબીના ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દિવગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી અને પુલ દુર્ઘટનાના દિવગતોના આત્માની શાંતિ માટે તેમજ મૃતકોના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.

જ્યારે બીલીયા મુકામે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો દિવંગત આત્માને શાંતિ મળે તે માટે શોકસભા રાખવામાં આવી હતી તેમાં બીલીયા ગામના ગ્રામજનો તથા સરપંચ સહિત દરેક દિવગતોના આત્માની શ્રદ્ધાંજલિમાં હાજર રહી દિવંગત આત્મા ને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

- text

- text